બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક ફરહાન અખ્તર વચ્ચે ‘ડૉન 3’ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર રીતે અસહકાર (Non-Cooperation) નો આદેશ જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંગઠનનો આરોપ છે કે રણવીર સિંહે ત્રણ વખત યાદ અપાવવા છતાં રૂબરૂ આવીને આ ગંભીર મુદ્દે ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે.
બીજી તરફ, ફિલ્મની જાહેરાત થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવા બદલ એક્સેલ એન્ટરટેઇનમેન્ટે રણવીર સિંહ પાસે હર્જાના પેટે ₹45 કરોડની મોટી રકમની માંગણી કરી છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આખો વિવાદ શું છે અને રણવીર સિંહના કરિયર પર તેની શું અસર પડશે,









