રાજકોટ:
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર દિવ્ય દરબારને લઈને ગરમાવો ?. રાજકોટમાં બાબાના આગમન પહેલાં જ ભારે વિવાદ અને ચર્ચા જાગી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ માત્ર કલેક્ટરને આવેદન પત્ર જ નથી આપ્યું, પરંતુ હવે સીધેસીધું બાગેશ્વર બાબાને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે. સોશિયલ મીડિયા પર આ ચેલેન્જને લઈને એક પોસ્ટર પણ ભારે વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે – ‘હવે જામશે ખરેખરીનો ખેલ !!’
રૂ. 50 લાખથી 1 કરોડ સુધીનું ઇનામ અને વિજ્ઞાન જાથા બંધ કરવાની જાહેરાત!
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ચેલેન્જમાં બે મુખ્ય બાબતોની જાહેરાત કરવામાં આવી છે:
પ્રશ્નોના જવાબ આપો ને ઇનામ જીતો: જો ધીરેન્દ્ર શાસ્ત્રી વિજ્ઞાન જાથા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સાચા જવાબ આપશે, તો તેમને રૂ. 50 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીનું રોકડા ઇનામ આપવામાં આવશે.
એટલું જ નહીં, જયંત પંડ્યાએ એવો પણ મોટો દાવો કર્યો છે કે જો બાબા આ ચેલેન્જ જીતી જશે, તો તેઓ પોતાની વર્ષો જૂની સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ને કાયમ માટે બંધ કરી દેશે.
શું ધીરેન્દ્ર શાસ્ત્રી આ ચેલેન્જ સ્વીકારશે?
બાગેશ્વર ધામના બાબા પોતાના દિવ્ય દરબારમાં લોકોના મનની વાત જાણી લેવા અને ચમત્કારોના દાવા કરવા માટે દેશભરમાં જાણીતા છે. ભૂતકાળમાં પણ દેશના અન્ય રાજ્યોમાં તેમને આવી ચેલેન્જો મળી ચૂકી છે, ત્યારે હવે ગુજરાતના રાજકોટની ધરતી પર વિજ્ઞાનજાથા અને ધીરેન્દ્ર શાસ્ત્રી વચ્ચે સીધો જંગ જામ્યો છે ?. હવે આખોય મામલો વહીવટી તંત્ર અને જનતાની નજરમાં છે. વિજ્ઞાન જાથાના આ આકરા પ્રહાર બાદ શું ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટના મંચ પરથી આ પડકારનો જવાબ આપશે? શું તેઓ આ ચેલેન્જ સ્વીકારીને વિજ્ઞાન જાથાને બંધ કરાવશે?
આ વિવાદ હવે કયું નવું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
રાજકોટમાં બાગેશ્વર બાબાને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આપી મોટી ચેલેન્જ, જાણો કેટલા કરોડના ઇનામની કરી જાહેરાત
રાજકોટ:ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર દિવ્ય દરબારને લઈને ગરમાવો ?. રાજકોટમાં બાબાના આગમન પહેલાં જ ભારે વિવાદ અને ચર્ચા જાગી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ માત્ર કલેક્ટરને આવેદન પત્ર જ નથી આપ્યું, પરંતુ હવે સીધેસીધું બાગેશ્વર બાબાને ખુલ્લો પડકાર ફેંકી દીધો...









